Categories
Languages ફરાળી પોળ (Gujarati Blog)

હજૂરિયા કે ખજુરિયા, આખરે તો મજૂરીયા

ગુજરાત રાજ્ય ની ત્રણ રાજ્ય સભા ની બૈઠકો માટે એવો ઘોંઘાટ થયો જાણે દેશ ની સામાન્ય ચૂંટણી થતી હોય। કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ એવો દમખમ દેખાડયો કે કોઈને એવું લાગ્યું હોય કે આ સમસ્ત પૃથ્વી માં થનાર છેલ્લી ચૂંટણી, અને ચૂંટાવાની છેલ્લી તક છે તો એનો કોઈ વાંક નહીં ગણાય।

બધા ને ખબર છે કે સવાલ એક બૈઠક નું નોતું પણ એક વ્યક્તિ નું હતું।  કાં તો એમ કહેવાય કે કોંગ્રેસ તરફ થી એક વ્યક્તિ નું હતું અને ભાજપ તરફ થી એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ ના બહાને એક બીજી વ્યક્તિ અને સરવાળે એક આખી પાર્ટી ને પતાવી નાખવાની જુમ્બેશ હતી।

કોંગ્રેસ ની પેલી વ્યક્તિ જીતી ગયી।  પણ કોંગ્રેસ પાર્ટી જીતી કે હારી એ તો ડિસેમ્બર ની ચૂંટણી માં ખબર પડશે।

પણ સવાલ અહીંયા એક વ્યક્તિ કે એ બીજી વ્યક્તિ નું નથી।  સવાલ છે આ વ્યક્તિ નું જે તમારું પ્રતિનિધિત્વ કરે છે। એ વસ્તુ ચોક્કસ બરાબર છે કે જે વ્યક્તિ કોઈ પાર્ટી ના ટિકિટ પર ચૂંટણી લડ્યા હોય એમની જિમ્મેદારી છે કે તેઓ એ  પાર્ટી ના સત્તાવાર સ્ટેન્ડ સાથે અડીખમ ઉભા રહે। આપડે આપડા પરિવાર, કાર્યસ્થળ અને સમાજ માટે પણ એમ કરતા હોઈએ છીએ – અને આપડા તરફ એમની આવી અપેક્ષા પણ હોય છે।

પણ તોય જો તમને બિલકુલ પોતાની જાત તરફ થઈ કોઈ મંતવ્ય આપવાની બિલકુલ છૂટ ના હોય, તમારી પ્રામાણિકતા ઉપર વિશ્વાસ ના હોય, તમારી સુરક્ષા ની બીક હોય – કે આ બધું હોય પણ તમારા ‘માલિક’ પોતાની અસુરક્ષા ના લીધે તમને એ બધી વસ્તુઓ ના ભોગ ચડાવતો હોય તો એ વ્યાજબી છે કે તમે તમારી જાત ને જનતા નો પ્રતિનિધિ નહીં પણ પાર્ટી નો ગુલામ હોવાનું અનુભવો।

ઘણા પ્રતિનિધિયો ને આનાથી ખાસ વાંધો પડતો નથી કારણ કે એમને ગુલામી ની મોટી રકમ મળતી હોય છે।

અને એટલેજ હૂં કહું છૂ, તમે તમારી જાત ને ગીરવી મૂકી ને પાર્ટી ના સ્ટેન્ડ સાથે ઉભા રહો કે બીજી પાર્ટી દ્વારા બતાવેલા સુંદર સપના (અને રોકડા) ના લીધે પાર્ટી વિરુદ્ધ જતા હો, રાજ્ય સભા ની ચૂંટણી – કે કોઈ પંણ બહુમતી સાબિત કરવાની સ્તિથી – ના પ્રાયોજન વખતે તમે જનતા ના પ્રતિનિધિ રીતે ભાગ્યેજ ભૂમિકા ભજવતા હોવ છો। જનતા ને એની સુધી સુધા છે કે નહીં, એને કાંઈ પડી છે કે નહીં એક જુદો પ્રશ્ન છે – પણ તમે તો તંત્ર ના મજૂર માત્ર બની ને રહી જાઓ છો એ નક્કી વાત છે।

પ્રશ્ન છે કે ભારત ની લોકશાહી પદ્ધતિ માં આનો કોઈ ઉકેલ નીકળી શકે કે શું।

Categories
Languages ફરાળી પોળ (Gujarati Blog)

જ્યારે નંબર પ્લેટ બની જાયે છે નેમ પ્લેટ

હૂં અમવાદ નો રિકશા વાળો,
નૌ સો નવ્વાણું નંબર વાળો …

ગુજરાતી ચિત્રપટ માં રસ ધરાવતી કયી વ્યક્તિ ને મહાન ગાયક કિશોર કુમાર દ્વારા ગાયેલા આ ગીત ની ખબર નથી? એમાં પાછું અસરાની નું નિર્દોષ અભિનય।

પણ આ ગીત અને આ રીક્ષા, બન્ને એક વીતેલા સમય ની ગાથા બોલે છે।  કારણ કે હવે ‘સ્પેશ્યલ’ નંબર ના મોટા પૈસા તો ખરા પણ અસલી કિંમત તો ગાડી ઉપર ની ‘નેમ પ્લેટ’ ની છે।

ખરેખર, એ ગાડીજ શું જે તમારી જ્ઞાતિ ના વખાણે!

ચોક્કસ એક સ્પેશ્યલ નંબર થી ગાડી ના માલિક ના આર્થિક રુતબા ની ખબર પડે છે પણ એનાથી એને સમસ્ત જ્ઞાતિ ની આત્મીયતા, સમસ્ત જ્ઞાતિ નો ભાવનાત્મક સહકાર અને સત્કાર મળે એ ઝરૂરી નથી।

કદાચ એટલેજ ગુજરાત ના લગભગ બધાજ નાના-મોટા શહેરો માં રીક્ષા, કાર, ટ્રક અને બાઈક વગેરે ઉપર ‘પાટીદાર’, ‘ક્ષત્રિય’, ‘રાજપૂત’, ‘અહીર’ જ્ઞાતિ આધારિત ‘સ્ટીકર’ ચોંટાડેલા હોય છે। ‘માં-બાપ ને ભૂલશો નહિ’ કહેતા સ્ટીકર ઓછા થયી ગયા છે. હવે ‘જય ચેહર માં’, ‘જય ગોગા’ વાળા સ્ટીકર વધારે વેંચાતા લાગે છે।

‘જય ચેહર માં’, ‘જય ગોગા’, ‘જય ભીમ’ બોલવું એ તો સારી વાત છે, અને એમાં કોઈને પણ ન વાંધો છે ના હોવો જોઈએ। પણ આપડો વિષય છે કે કેવી રીતે ઘણા લોકો એમના વાહન ને એમની જ્ઞાતિય ઓળખ અને અભિમાન નું પ્રતિક બનાવી લે છે.

અમારા વસ્ત્રાપુર (અમદાવાદ) ના રબારી ભાઈઓ ની જેમ ‘જય ચેહર માં’ તો હૂં પણ બોલું છૂ પણ એ આલોકિક ભક્તિ ને ફક્ત મારી કે એમની જ્ઞાતિ સુધી સીમિત કરવું, એના પર અતિશય અભિમાન કરવું અને છેવટે બાકી જ્ઞાતિ ના લોકો ને એના થી દૂર, અથવા એમનો પ્રતિકાર કરવો ક્યાં સુધી યોગ્ય છે, એ વિચારવાની વસ્તુ છે.

જોકે આ પ્રથા રાજકોટ અને એના આસ-પાસ ના વિસ્તારો માં વધારે જોવા માં મળે છે, પણ કદાચ તેજ વિસ્તારો ના લોકો નું અમદાવાદ માં ભારે પ્રમાણ માં વસી જવાને કારણે હવે અમદાવાદ માં પણ એ દેખાઈ જવું અણધારી નથી રહી ગયું।

હાલ ચાલતા દલિત આંદોલન અને થોડા સમય પહેલાંના પાટીદાર આંદોલન માં અનુક્રમે ‘જય ભીમ’ અને ‘જય સરદાર, જય પાટીદાર’ ના સ્ટીકર ઠેર-ઠેર શેહર ના રસ્તે દેખાઈ જાય છે।

એમાં થી ઘણા આંદોલન પૂરું થતાં પોતાના વાહન ની નંબર પ્લેટ પાર થી એ સ્ટીકર કદાચ કાઢી દેશે। એવું થાય તો એની સાધારણ ધોરણે સ્ટીકર લગાવવાની પ્રથા થી સરખામણી ના થાય – કારણ કે આ લોકો એક કાળ ની જુમ્બેશ ને પોતાનું સાથ અને પોતાની આવાજ આપી રહેયા ગણાય। એવા લોકો માત્ર પોતાના સમાજ (જ્ઞાતિ) સાથે થતા વાસ્તવિક અથવા કલ્પિત અન્યાય ના વિરોધ માં પોતા નો ફાળો આપતા હોયે છે, અને એમને સાધારણ ધોરણે પોતાની જ્ઞાતિ ને જાહેર ક્ષેત્ર માં અગત્ય આપવા ની ઝરૂર નથી હોતી।

એવું હોયે તો પ્રશાશને પણ એ વાત ને સમઝી એને એ કાળ પૂરતું અવગણવું જોઈએ।

પણ જે લોકોની પ્રવ્રતિ માંજ સમાજ માં જ્ઞાતિ લક્ષી તફાવતો વધારવાનો હોય એમની સામે તંત્રે ચોક્કસ પગલાં લેવા જોઈએ।

અવારનવાર ટ્રાફિક પોલીસે એ બાબતે જુમ્બેશ ચલાવી છે. પણ ઝરૂર છે સતત ચાલતા પગલાંઓ ની। લોકશાહી નું અર્થજ એ કે જેમાં તંત્ર સર્વ સમાજ ને સમાન સ્વતંત્રતા આપે પણ સાથે-સાથ સર્વ સમાજ ઉપર એક કાનૂન નું અમલ કરે।

ચાલો, આપડે બધા આપડી જ્ઞાતિઓ ને નંબર પ્લેટ થી ઉપર રાખીયે।

અને હાં, આપડી આર્થિક જ્ઞાતિ ને પણ એનાથી દૂર રાખીયે। મોટા આકાર કે ‘સ્પેશ્યલ’ નંબર વાળી નંબર પ્લેટ થી માણસ મોટો નથી થઇ જતો।

છેલ્લે, આ તો કહેવુંજ પડે – આઈ લવ અમદાવાદ!